Paryavaran Sadhna

The Evironment Website

જંગલોનો મોટાપાયે વિનાશ પર્યાવરણ માટે ઘાતક   

જંગલોમાંથી મળતા લાકડા ફર્નિચર, હસ્તકલા, કાગળ અને પલ્પ, રબર વગેરે જેવા જંગલ-આધારિત ઉત્પાદનનો મુખ્ય સ્ત્રોત છે.અમગ્ર વિશ્વ વિવિધ કારણોને લઈને જંગલોનું મોટાપાયે નિકંદન નિકળી રહયું છે જંગલોનો મોટા પાયે વિનાશ હંમેશા પર્યાવરણ માટે ચિંતાનો વિષય રહ્યો છે. જો કે ક્લાઇમેટ ચેન્જની સાથે તાજેતરના વર્ષોમાં વૈશ્વિક સ્તરે વનનાબૂદી એક ગંભીર સંવેદનશીલ મુદ્દો બની ગયો છે.ગ્લોબલ વોર્મિંગ પર અંકુશ રાખીને જંગલો મોટા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે જે વિવિધ આર્થિક પ્રવૃત્તિઓમાં ઉત્સર્જિત થાય છે.વર્ષ 2021 માં યોજાયેલ ગ્લાસગો આબોહવા બેઠકમાં વિશ્વના 100 થી વધુ દેશોએ વર્ષ 2030 સુધીમાં વનનાબૂદીને રોકવા અને ઉલટાવી દેવાનું શરૂ કરવાની મતલબ કે ખુબજ મોટી માત્રમાં વન વિકાસ થાય તેના માટે પ્રતિજ્ઞા લીધી છે.


જંગલોનો મોટાપાયે વિનાશ પર્યાવરણ માટે ઘાતક